ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે, કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી

રાજસ્થાનમાં રણ પ્રદેશમાં વધારો થશે, જયપુર, દિલ્હી, ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં પાણીની અછત સર્જાશે

January 4, 2026
National
ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે, કેન્દ્રના દાવાને નકારતી સ્ટડી
નવી દિલ્હી,તા.૪, કેન્દ્ર સરકારનો દાવો છે કે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા એટલે કે ૧૦૦ મીટરની લિમિટને કારણે માત્ર ૦.૧૯ ટકા હિસ્સો જ ખનન માટે લાયક છે. જાેકે કેન્દ્રના આ દાવાને ફગાવતી એક સ્ટડી સામે આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અરવલ્લીનો ત્રીજાે હિસ્સો એટલે કે લગભગ ૩૩ ટકા ભાગ અત્યંત જાેખમભરી સ્થિતિમાં છે. સેટેલાઇટના ડેટાના ઉપયોગથી તૈયાર કરાયેલા આ સ્વતંત્ર સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે અરવલ્લીનો ૩૧.૮ ટકા હિસ્સો એવો છે કે જે ૧૦૦ મીટરની કેન્દ્રની વ્યાખ્યા હેઠળ આવે છે. એનો અર્થ એમ થયો કે ૩૧ ટકા હિસ્સો ખનન માટે પસંદ કરવામાં આવી શકે છે જેને કારણે અરવલ્લી પર મોટું જાેખમ છે. ક્લાઇમેટ વૈજ્ઞાાનિક અને પર્યાવરણ એક્ટિવિસ્ટ ડો. સુધાંશુએ કહ્યું હતું કે પોલિસી ગેપને ગંભીર રીતે ઉજાગર કરે તેવું આ સંશોધન છે. નીચી પહાડીઓ છે તેને વેસ્ટ લેન્ડ તરીકે ખોટી રીતે દર્શાવવામાં આવી રહી છે. હરિયાણા, રાજસ્થાન, દિલ્હીના લાખો લોકો પર પર્યાવરણ અને જળનું જાેખમ વધી શકે છે. જાે અરવલ્લી વિસ્તારમાં ખોદકામની છૂટ આપવામાં આવી અને ખનન થવા લાગ્યું તો રાજસ્થાનનું રણ છે તે વધવા લાગશે. થાર પ્રાંતનું પ્રમાણ વધશે. એટલુ જ નહીં જયપુર, ગુરુગ્રામ, અને દિલ્હીના નાગરિકોને જે પીવાનું પાણી મળી રહ્યું છે તે છીનવાઇ જશે કેમ કે આ પહાડીઓ ભુગર્ભમાં જળ સંગ્રહ તરીકેનું કામ કરે છે. હાલમાં ચિત્તોડગઢ, નાગૌર, બુદી, સવાઇ માધોપુર જેવા વિસ્તારોમાં માઇનિંગ થઇ રહ્યું છે.
Sponsored
Mobile Ad