
સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની કુશળતાથી સેફટી પીન ગળી ગયેલી મહિલાનું જીવન બચ્યું
તારીખ ૧૬ જાન્યુઆરીના રોજ સિવિલના ઈએનટી વિભાગના વડા ડોક્ટર ઇલા ઉપાધ્યા તેમજ એનેસ્થસિયા વિભાગના ડો. ભાવના રાવલની ટીમ દ્વારા મહામહેનતે ઈસોફેગોકોપી કરી સફળતાપૂર્વક અન્નનળીના બીજા કોઈ પણ ભાગ ને ઈજા થયા વગર સેફટી પીન બહાર કાઢવામાં આવી હતી.










